જામનગર ખંભાળિયા હાઈવે પર બેફામ કાર ચાલકે માતા પુત્રીને કચડી નાખ્યા

[ad_1]

  • બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત
  • રોડ ક્રોસ કરી રહેલા માત પુત્રીનું મોત
  • કજૂરડા પાટિયા પાસે થયો અકસ્માત

જામનગર ખંભાળિયા હાઈવે પર અકસ્માત થયો છે. જેમાં બેફામ કાર ચાલકે કજૂરડા પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહેલા માત પુત્રીની કચડી નાખ્યા છે. તેમાં ઘટના સ્થળે જ માત-પુત્રીના મોત નિપજ્યા છે. તેમજ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.

બેફામ ચાલતી કારે ગમખ્વાર અકસ્માત સર્જ્યો

ભરાણા ગામના 32 વર્ષિય હિનાબા જાડેજા અને 9 વર્ષિય કૃપાબા જાડેજાનું આકસ્માતમાં મોત થયુ છે. જામનગર-ખંભાળિયા હાઇવે પર બેફામ ચાલતી કારે ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે. તેમાં કજૂરડા પાટિયા પાસે બેફામ ચાલતી કારે રોડ ક્રોસ કરી રહેલી માતા અને પુત્રીને જોરદાર ટક્કર મારી હતી. બેફામ ચાલતી કારે અકસ્માત સર્જતા બન્ને માતા પુત્રીના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે.

જસદણ અકસ્માતમાં ત્રણના મોત થયા

આજે જસદણ અકસ્માતમાં ત્રણના મોત થયા છે. જેમાં મામા અને બે ભાણીના અકસ્માતમાં મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જસદણના બાખલવડ ગામ નજીક આ અકસ્માત થયો છે. તેમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ભયાનક નજારો જોવા મળ્યો હતો.

જસદણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

જસદણ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તેમજ મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ PM અર્થે ખસેડાયો છે. જસદણના બાખલવડ ગામ નજીક અકસ્માત મામલે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાત્રે અકસ્માત સર્જાતા બેના મોત થયા હતા. જેમાં ચાર વર્ષની બાળકી અને 27 વર્ષે પુરુષનું મોત થયું હતું. તેમજ આજે વધુ એક આઠ વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયુ છે.

[ad_2]

Source link

Categories:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *